યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.(વાહન લોન સહાય યોજના)
યોજનાનું સ્વરૂપ/લોનસહાયના
ધોરણો:
·
રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે
સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
·
વ્યવસાય
કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર
, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ
સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી
જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
·
ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય
માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા
વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
સ્વરોજગારલક્ષી યોજનાઓ
માટેના ધિરાણના માપદંડ
·
વાહન
માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
·
મેળવેલ
વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
·
વાહન
મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
·
નાના
વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ
ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
·
લોનની કુલ
રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની
લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
·
લોનની કુલ
રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ
સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
·
દરેક લોન
લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
સ્વરોજગારલક્ષી તમામ
યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.
·
અરજદાર
ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
·
અરજદારની
ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
·
ધિરાણનો
વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
·
પ્રતિ
વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
વ્યાજનો દર :ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા લેખે
સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
👉 Click here to know How to Apply
For more Scheme 👇
Stay Connected with us :