Recent Posts

યોજના - સ્વરોજગારલક્ષી યોજનાઓ. (ટ્રાન્સપોર્ટ/લોજિસ્ટીક્સ/ટ્રાવેલ્સ/ફૂડ કોર્ટ વ્યાજ સહાય યોજના)

યોજનાનું નામ સ્વરોજગારલક્ષી યોજનાઓ. (ટ્રાન્સપોર્ટ/લોજિસ્ટીક્સ/ટ્રાવેલ્સ/ફૂડ કોર્ટ વ્યાજ સહાય યોજના)

યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:

·         રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ.

·         વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખરથનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.

o    ઉપરોકત ક્ર્મ ૧ અને ૨ ની યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.

·         ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ. ૬.૦૦ લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ

·         વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.

·         મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.

·         વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.

·         નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.

·         લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ કરવાનું રહેશે.

·         લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

·         દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

·         અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.

·         અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.

·         ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર : ક્ર્મ ૧ અને ૨ માટે વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

 

Apply Now


 👉 Click here to know How to Apply


For more Scheme 👇 


 

 

 

 


 

 

 


 

 

 


 

 

 


 

Stay Connected with us :