ઈ-શ્રમ પોર્ટલ
ઈ-શ્રમ પોર્ટલનો ઉદ્દેશ્ય
ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. E Sharam Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.
Important Point of E-Shram Portal
| પોર્ટલનું નામ | E Shram Portal |
| કોને બનાવેલ છે. | ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ) |
| લાભાર્થીઓ | દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો |
| ઉદ્દેશ્ય | શ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો, જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય |
| Official Website | Click Here |
| CSC Locator | Click Here |
| E Shram Self Registration | Apply Now |
E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.
ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.
- અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
- શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
- શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
E Shram Portal ની વિશેષતાઓ
- ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
- e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
- CSC (Common Service Center ) દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
- શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
- આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
- આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
- ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્ય રહેશે.
- E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
- e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.
- E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
- આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
- ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
- અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
- શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
- ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
- ખેતશ્રમિક
- કડીયાકામ, ઈંટો ગોઠવી
- સુથાર, મિસ્ત્રી
- લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
- આંગણવાડી કાર્યકર
- વાયરમેન
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- પ્લમ્બર
- હમાલ
- મોચી
- દરજી
- માળી
- બીડી કામદારો
- ફેરીયા
- રસોઈયા
- અગરિયા
- ક્લીનર- ડ્રાઇવર
- ગૃહ ઉદ્યોગ
- લુહાર
- વાળંદ
- બ્યુટી પાર્લર વર્કર
- આશા વર્કર
- કુંભાર
- કર્મકાંડ કરનાર
- માછીમાર
- કલરકામ
- આગરીયા સફાઈ
- કુલીઓ
- માનદવેતન મેળવનાર
- રિક્ષા ચાલક
- પાથરણાવાળા
- રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
- ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
- રત્ન કલાકારો
- ઈંટો કામ કરનાર
- રસોઈ કરનાર
- જમીન વગરના
ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.
E Shram Card ના લાભાર્થીઓની યાદી
ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.